
એસટી બંધ રૂટો શરૂ ન થાય તો કોંગ્રેસની આંદોલન કરવાની ચીમકી
મોરબી: મોરબીથી ભીમકટા-સુરેન્દ્રનગરની એસટી બસને ઓચિંતા જ એસટી તંત્રએ મનસ્વી નિર્ણય લઈને બંધ કરી દેતા વિદ્યાર્થીઓ અને રોજ અપડાઉન કરતા લોકો રઝળી પડ્યા હતા. આ બાબતે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ મોરબી એસટી ડેપો મેનેજરને રજુઆત કરી હતી કે, મોરબી એસટી ડેપોમાંથી ઘણા સમયથી સવારના છ વાગ્યેથી ભીમકટા-સુરેન્દ્રનગરની એસટી બસ ચાલુ હતું. આ રૂટ ભીમકટામાં રાત્રી રોકાણ કરવામાં આવતું હતું. આ રૂટ ભીમકટા, ખારચિયા, આમરણ, હજનાળી,કુંતાસી, મોડપર, જેવા ઘણા બધા ગામના વિધાર્થીઓ સહિતના લોકો અપડાઉન કરતા હતા. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી આ રૂટ બંધ કરવામાં આવતા વિધાર્થીઓ સહિત અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આથી આ વિધાર્થીઓ સહિતના અનેક લોકોની હાલાકી દૂર કરવા ભીમકટાનો રૂટ ફરી ચાલુ કરવામાં નહિ આવે તો તેઓએ મોરબી એસટી ડેપો ખાતે આંદોલન કરવાની ચીમકી આપી છે.










