Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં બે સ્થળે રામ-રાવણના યુદ્ધ બાદ અધર્મ ઉપર ધર્મના વિજય રૂપે રાવણ...

મોરબીમાં બે સ્થળે રામ-રાવણના યુદ્ધ બાદ અધર્મ ઉપર ધર્મના વિજય રૂપે રાવણ દહન કરાશે

મોરબી : મોરબીમાં આજે વિજયા દશમી પર્વ નિમિત્તે અવની ચોકડી તેમજ વાવડી રોડ ખાતે રાવહ દહન કરવામાં આવશે, રાવણ દહન પૂર્વે બન્ને સ્થળોએ રામ – રાવણનું યુદ્ધ સહિતના કાર્યક્રમો પણ યોજાશે.

મોરબીમાં આજે દશેરાના દિવસે શહેરના અવની ચોકડી પાસે આવેલ જય અંબે સોસાયટી પાછળ આવેલ સન ફ્લોરા સામે ખુલ્લા ખેતરમાં જય અંબે ગરબી મંડળ દ્વારા સતત બીજા વર્ષે રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે 9 કલાકે અવની ચોકડીથી શોભાયાત્રા કાઢવામાં આવશે અને રામ – રાવણના યુદ્ધ બાદ અમદાવાદથી સ્પેશિયલ બનાવેલ 30 ફુટ ઉંચા રાવણનું દહન કરાશે. જયારે શહેરના રાધા પાર્ક વાવડી રોડ ખાતે પણ રાત્રે રામ – રાવણનું યુદ્ધ કરવામાં આવશે અને બાદમાં 13 ફૂટ ઉંચા રાવણનું દહન કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments