Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વ્યાજખોરોની દાદાગીરી, પઠાણી ઉઘરાણી કરી પતાવી દેવાની ધમકી

મોરબીમાં વ્યાજખોરોની દાદાગીરી, પઠાણી ઉઘરાણી કરી પતાવી દેવાની ધમકી

મોરબી : મોરબીમાં ફરી વ્યાજખોરોએ માથું ઊંચક્યું હોવાની ઘટના સામે આવી છે, મોરબીના શનાળા રોડ ઉપર રહેતા યુવાને વ્યાજે લીધેલા નાણાં વ્યાજ સહિત પરત આપ્યા હોવા છતાં બે આરોપીઓએ પઠાણી ઉઘરાણી કરી છરી બતાવી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસે ગુન્હો દાખલ કર્યો છે.

મોરબીના શનાળા રોડ ઉપર સ્કાયમોલ સામે રહેતા ફરિયાદી હર્ષ જગદીશભાઈ ફેફરે આરોપી ભરત ઉર્ફે બી.કે. કાળુભાઇ ગોગરા પાસેથી વ્યાજે નાણાં લીધા બાદ વ્યાજ સહિત પૈસા પરત આપી દેવા છતાં આરોપી ભરત ઉર્ફે બી.કે અને આરોપી રાજન ભરતભાઇ કાતડ નામના શખ્સોએ ભક્તિનગર સર્કલ પાસે હર્ષને રોકી નાણાંની ઉઘરાણી કરી છરી બતાવી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments