મોરબી : મોરબીના ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના નોંધાયેલા સભ્યોનું નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન યોજાનાર છે. સંસ્થાની ભોજન શાળા ખાતે આગામી તા. 17ને રવિવારના રોજ સાંજે 05:30 કલાકે યોજનાર આ સ્નેહમિલનમાં ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવેલ છે.આ માટે વ્યવસ્થાના ભાગ સ્વરૂપે મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી (ભોજનશાળા), વાંકાનેર દરવાજા પાસે, સબજેલ આગળથી સવારના 10 થી 12 અને સાંજે 5 થી 7 દરમિયાન ફક્ત સંસ્થામાં નોંધાયેલા સભ્યોએ તા. 8થી તા.16 સુધીમાં પાસ મેળવી લેવાના રહેશે. તેમ ટ્રસ્ટી મંડળ દ્વારા યાદીમાં જણાવાયુ છે.








