મોરબી : મોરબી શહેરના રવાપર રોડ ઉપર કાલિકા પ્લોટમાં રહેતા પ્રદીપસિંહ ચંદુભા રાઠોડ ઉ.27 નામના યુવાને પોતાના ઘેર ઉપરના માળે રૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાન આર્થિક ભીંસમાં આવી જતા તેણે અંતિમ પગલું ભરી લીધું હોવાનું ખુલ્યું છે. આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










