મોરબી : ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના વર્ગ 1ના 13 આધિકારીઓને મદદનીશ નિયામક તરીકે બઢતી આપી છે જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આરસીએચઓ તરીકે ફરજ બજાવતા ડો.પી.કે.શ્રીવાસ્તવને બઢતી સાથે મોરબી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે. નોંધનીય છે કે, મોરબી જિલ્લા પંચાયતમાં મુખ્ય આરોગ્ય અધિકારીની જગ્યા ખાલી પડી હોય ઇન્ચાર્જના હવાલે કામગીરી ચાલતી હતી.










