Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiજલારામ મંદિર વીરબાઈ માની પૂણ્યતિથીની ધાર્મિક કર્યો થકી ઉજવણી

જલારામ મંદિર વીરબાઈ માની પૂણ્યતિથીની ધાર્મિક કર્યો થકી ઉજવણી

મોરબી : સંત શિરોમણી શ્રી પૂ.જલારામ બાપાના ધર્મપત્નિ માતૃશ્રી વીરબાઈ માઁની 146મી પૂણ્યતિથી નિમિતે મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ધૂન-ભજન તથા મહાપ્રસાદના કાર્યક્રમનું આયોજન કરવા માં આવ્યુ હતું.

જેમાં શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબીના બહેનો તથા વૈદેહી સત્સંગ સમિતીની બહેનો દ્વારા ધૂન-ભજન કરી પૂ.જલારામ બાપા તથા માતૃશ્રી વીરબાઈ માઁની આરાધના કરવામાં આવી હતી. આ દરમ્યાન બહોળી સંખ્યામાં ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવનાબેન સોમૈયા, ભારતીબેન ચતવાણી, ચંદ્રિકાબેન માનસેતા, રશ્મિબેન કોટક, રીનાબેન ચૌહાણ, મીનાબેન ચંડીભમર, નયનાબેન મીરાણી, ગાયત્રીબેન પંડિત, ભારતીબેન રામાવત સહીતના મહિલા અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments