Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiકંડકટરની પ્રામાણિકતા: લેપટોપ મૂળ માલિકને પરત આપ્યું

કંડકટરની પ્રામાણિકતા: લેપટોપ મૂળ માલિકને પરત આપ્યું

ટંકારા નગરના રહેવાસી અને હડમતીયા ગામની પ્રાથમિક શાળામા શિક્ષક તરીકે ફરજ બજાવતા રમુભાઈ ભરવાડના દિકરા જગદીશભાઈ ભરવાડ જે હાલમા વાંકાનેર એસટી ડેપો ખાતે કંડકટરમા ફરજ બજાવે છે.

જેમની ફરજ વાંકાનેર-નલિયા રૂટમાં હતી તે દરમિયાન એક મુસાફર તેનું HP કંપનીનું લેપટોપ અને બેગ બસમાં જ ભુલીને ઉતરી ગયેલ હતો. ત્યારબાદ જગદીશભાઈને તે બેગ મળી આવ્યું હતું. જેથી તેમણે બેગ અને લેપટોપ મુળ માલિકની ખરાઈ કરીને મોરબી ડેપો ખાતે અધિકારીની હાજરીમાં પરત કરીને એક પ્રમાણિકતા દર્શાવી હતી. જેથી રાજકોટ વિભાગના કર્મચારી મહામંડળના પ્રમુખ જયુભા ડી.જાડેજા અને વાંકાનેર એસટી ડેપો પરિવાર તરફથી તેમની પ્રમાણિકતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments