વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતથી વાંકાનેરથી જડેશ્વરને જોડતા આશરે 14. કિ. મી.નો ડામર રોડ રૂ. 8 કરોડ 30લાખનાં ખર્ચે મંજૂર થયેલ છે. તેનું આજ રોજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે બહોળી સંખ્યામાં સૌ આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ રસ્તો મોરબી તથા વાંકાનેરને જોડતો અગત્યનો રસ્તો છે. આ રસ્તો બનવાથી વાંકાનેર તથા મોરબી તાલુકાનાં પ્રજાજનોને ટુકા અંતરે સુવિખ્યાત યાત્રાધામ જડેશ્ચર આવવા જવા માટે ખુબ સરળ રહેશે. અને આ રસ્તો જામનગર, મોરબી, તથા રાજકોટ જીલ્લાને જોડતો અગત્યનો રસ્તો છે. તેમજ આ વિસ્તારમાં સુવિખ્યાત યાત્રાધામ જડેશ્ર્વર મહાદેવ મંદિર તથા ભંગેશ્વર મહાદેવ મંદિર, ઔદ્યોગિક વિસ્તાર, સ્કૂલો, સરકારી હોસ્પિટલ તેમજ આ રસ્તા ઉપર ઘણાં બધાં ગામો આવેલા હોય તેથી પ્રજાજનોને આવવાં જવા માટે તેમજ વાહન વ્યવહારમાં ખુબ સરળ બની રહેશે.તેમ યાદીમાં જણાવાયું છે.











