મોરબી: નવયુગ વિદ્યાલય મોરબી ખાતે તુલસી દિવસ ની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી સંપૂર્ણ વૈદિક પદ્ધતિ થી સંસ્થા ના પ્રમુખશ્રી કાંજીયા સાહેબ દ્વારા તુલસી પૂજન કરવામાં આવ્યુ હતું તેમજ 108 તુલસી ના રોપાનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
તેમજ તુલસી નું મહત્વ સમજવામાં આવ્યુ હતું તેમજ તુલસી દિવસ વિશેસ વિદ્યાર્થીઓ દ્વારા અદભુત સ્પીચ આપવામાં આવી હતી તેમજ તુલસી નૃત્ય કરવામાં આવ્યુ હતું. સામુહિક ગીતા ના શ્લોક નું પઠન અને રંગપૂરણીનું સરસ આયોજન કરી સાચા અર્થમાં તુલસી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંસ્થા ના પ્રમુખ પી. ડી. કાંજીયા ઉપસ્થિત રહ્યા હતા અને મેનેજીંગ ડિરેક્ટર નીલશભાઈ અઘરા, પ્રિન્સિપાલ સંતોકી સર તેમજ સ્ટાફગણ એ ખુબ સરસ જહેમત ઉઠાવી હતી.











