વાંકાનેરના લાલપર ગામે પીલરનું પીંજરું વીજલાઈનને સ્પર્શી જતા એકનું મોત
મોરબી : વાંકાનેર તાલુકાના લાલપર ગામની સીમમાં નવા બાંધકામમાં પીલર ભરવા માટે પાંજરું બનાવી ફિટ કરતી વેળાએ બે શ્રમિકોએ પાંજરું ઊંચું કરતા આ લોખંડનું પાંજરું વીજલાઈનને અડકી જતા બે શ્રમિકોને વીજ શોક લાગ્યો હતો જેમા મધ્યપ્રદેશના વતની એક શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું.પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.










