મોરબી : મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલા રામધન આશ્રમના સેવક મુકેશભાઈ ભગતનો આજે જન્મદિવસ છે. મુકેશભાઈ ભગત નાનપણથી જ રામધન આશ્રમના મહંત ભાવેશ્રવરી બેનના સેવાકાર્યો અને પ્રબળ આધ્યાત્મિક ભાવનાના રંગે રંગાઈને રામધન આશ્રમના ધાર્મિક, સામાજિક, સેવાકીય કાર્યો સાથે જોડાઈ આ આશ્રમની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. આવા અદના સેવાભાવી મુકેશભાઈને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.











