Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં 9 થી 15 જાન્યુ. સુધી શિવ મહાપુરાણ કથા યોજાશે

મોરબીમાં 9 થી 15 જાન્યુ. સુધી શિવ મહાપુરાણ કથા યોજાશે

મોરબી : બાળકોના ઉજ્જવળ ભવિષ્યના હેતુથી સતધામ પરિવાર મોરબી દ્વારા તા. 9-1-2025થી તા. 15-1-2025 દરમ્યાન રાત્રે 8:30 થી 11 કલાક ફરમ્યાન રામેશ્વર પાર્ટીપ્લોટ, ઘુનડા રોડ, મોરબી ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કથામાં વક્તા સત્ શ્રી (સંસ્કૃતાચાર્ય) દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે. આ કથાનું દીપ પ્રાગટય પ્રેમ પ્રકાશદાસજી સ્વામી (સંસ્કારધામ, મોરબી), દામજીભગત (નકલંગધામ બગથળા), ભાણદેવજી (સરસ્વતી નિકેતન આશ્રમ જોધપુર (નદી)) દ્વારા કરવામાં આવશે. જેમાં 9-1-2025 ને ગુરુવારના રોજ રાત્રે 7:30 કલાકે નાથાભાઈ છગનભાઈ બાવરવા હરિવિલા, ઉમિયાનગર સોસાયટી, ઉમિયા સર્કલ, શનાળા રોડથી પોથીયાત્રા નીકળી કથા સ્થળ પર જશે. કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે અને કથાની પુર્ણાહુતી તા. 15ના રોજ રાત્રે 11 કલાકે થશે. આ કથા અંતર્ગત રાત્રે 10:30 કલાકે શિવ પ્રાગટયોત્સવ, શંકર- પાર્વતી વિવાહ અને ગણપતિ પ્રાગટયોત્સવ યોજાશે. આ શિવ મહાપુરાણ કથાનું લાઈવ પ્રસારણ ચેનલ કથા GTPL 555, અને યુટ્યુબ ચેનલ Satshri Kathaમાં કરવામાં આવશે. ત્યારે આ શુભ પ્રસંગે કથાનો લાભ લેવા સાતધામ પરિવાર મોરબી દ્વારા સમસ્ત જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments