મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થીનું પ૬મું પ્રદેશ અધિવેશન તા. ૭-૮-૯ જાન્યુઆરીએ કર્ણાવતી ખાતે યોજાયું હતું. આ વેળાએ ગુજરાત પ્રદેશ કારોબારી 2025 – 26 ની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં ABVP મોરબી શાખાના કાર્યકર્તા એવાં રાજદીપસિંહ જાડેજાને ગુજરાત પ્રદેશ વિશ્વવિદ્યાલય સહ સંયોજક, પૂર્વજીતસિંહ જાડેજાને ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય, ઊર્મિબેન જોષીને ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સમગ્ર ગુજરાતની છાત્ર શક્તિ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યાં છે. તેમ યાદીમાં જણાવાયું છે.











