Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબીના ગાયત્રી મંદિરે વસંત પંચમીએ સમૂહ યજ્ઞોપવિત તથા મહાયજ્ઞનું આયોજન

મોરબીના ગાયત્રી મંદિરે વસંત પંચમીએ સમૂહ યજ્ઞોપવિત તથા મહાયજ્ઞનું આયોજન

મોરબી : મોરબીના વાઘપરા શેરી નંબર 14માં આવેલા ગાયત્રી મંદિરે આગામી તારીખ 2 ફેબ્રુઆરી ને રવિવારે વસંત પંચમીના પાવન દિવસે સમૂહ યજ્ઞોપવિત તેમજ 25 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

2 ફેબ્રુઆરીએ ગાયત્રી માતાજીના મંદિરે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા 12 બટુકોને સમૂહ યજ્ઞોપવિત ધારણ કરવા તેમજ 25 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું તેમજ બપોરે 3 કલાકે આનંદના ગરબાનું આયોજન કરાયું છે. સાંજે 5-30 કલાકે માતાજીનું રાજોપચાર પૂજન કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ જગદીશભાઈ ઓઝા (એડવોકેટ), મહામંત્રી પ્રદિપભાઈ દવે તેમજ પ્રોજેક્ટ ચેરમેન અંબરીશભાઈ જોષી તેમજ તમામ ટ્રસ્ટીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments