Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળિયા (મી.) નજીક ટ્રકમાં ક્રૂરતાપૂર્વક લઈ જવાતા વધુ 30 પશુઓને બચાવાયા

માળિયા (મી.) નજીક ટ્રકમાં ક્રૂરતાપૂર્વક લઈ જવાતા વધુ 30 પશુઓને બચાવાયા

માળિયા મિયાણા નજીક ગૌરક્ષકોએ 30 જેટલા પશુ ભરેલી આઇસર ઝડપી લઈ પશુઓને બચાવી પાંજરાપોળ મોકલી દીધા છે. આ સાથે બે શખ્સોને માળિયા પોલીસને સોંપી દીધા છે.

મોરબી- કચ્છ ગૌરક્ષક હિન્દુ યુવા વાહીની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદને બાતમી મળેલ કે કચ્છ બાજુથી એક આઇસરમાં પશુઓ ભરીને કતલ કરવાના ઇરાદે માળીયા થઈને રાજકોટ લઈ જવાના છે. જેના આધારે ગૌસેવકોએ વોચ ગોઠવી GJ 13 AW 7883 નંબરનું આઇસર રોકી ચેક કરતા તેમાં 30 ભેસ ક્રુરતાપૂર્વક ટૂંકા દોરડાથી હલી ચલી ન શકે એવી રીતે બાંધેલા હતા. કોઈ પાસ પરપીન્ટ ન હતી.
વાહન સાથે રહેલા બે શખ્સોની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે નખત્રાણા બાજુથી આ પશુ ભરેલા હોય અને રાજકોટ હાજીના ઘરે કતલ કરવા માટે લઈ જવામાં આવી રહ્યા છે. આ 30 પશુઓને બચાવી માળિયાના ખાખરેચી ગામના પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે. ગૌરક્ષકો દ્વારા વાહન અને બે આરોપીને માળીયા પોલીસ સ્ટેશન લઈ જઈને ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ રેડ ને સફળ બનાવના માટે મોરબી ગૌરક્ષક હિંદુ યુવા વાહીની,રાજકોટ ગૌરક્ષક જીવદયા,વિરમગામ ગૌરક્ષક જીવદયા,કચ્છ ગૌરક્ષક જીવદયા,લીમડીગૌરક્ષક જીવ દયા,ચોટીલા ગૌરક્ષક જીવદયા
ભાઈઓનો ખૂબ સારો એવો સહયોગ મળ્યો હતો

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments