“પ્રાકૃતિક ખેતી શિબિર” આગામી તારીખ ૩૧ માર્ચ ૨૦૨૫ ને સોમવારે રમણમહર્ષિ આશ્રમ લક્ષ્મીનગર(મોરબી) ખાતે પ્રાકૃતિક ખેતી માટેના એક સેમિનારનુ આયોજન કરેલ છે. મોરબી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા તથા આવી વિચારસરણી ધરાવતા સમાન ખેડૂતો અરસ પરસ મળી નવી જાણકારી મેળવે એ હેતુથી મધૂરમ ફાઉન્ડેશન મોરબી દ્વારા આ શિબિર ગોઠવેલ છે.
આ શિબિર મુખ્યત્વે માર્કેટીંગ બાબતે ચર્ચા કરી ઉકેલ શોધવા માટે રાખેલ છે. દરેક ખેડૂત વેપારી પણ બને તે જરૂરી છે. શિબિરમાં સ્થાનિક તથા બહારથી પધારેલ પ્રાકૃતિક ખેતી નિષ્ણાતો માર્ગદર્શન આપશે. શિબિરનો સમય સવારે ૯.૩૦ થી ૧.૦૦ રાખેલ છે. ૪૦ વ્યક્તિના નામ નોંધાય ગયેલ છે. ભોજન વ્યવસ્થા ગોઠવેલ હોવાથી રજીસ્ટ્રેશન ફરજિયાત રાખેલ છે. રજીસ્ટ્રેશન માટે મને નંબર 9426232400 પર વોટ્સઅપ અથવા ફોનથી વહેલી તકે જાણ કરશો.
– પ્રાણજીવન કાલરિયા, મોરબી. 942623240











