વાંકાનેર : આગામી તારીખ 29 એપ્રિલના રોજ વાંકાનેરના જાલસીકા ગામે પંચાળ પ્રદેશની આદ્યશક્તિ હોલ માતાજીનો 18મો વાર્ષિક વૈશાખી બીજ મહોત્સવ તથા નવરંગો માંડવો યોજાશે.
29 એપ્રિલના રોજ બીજ મહોત્સવ તથા માતાજીના નવરંગો માંડવો નિમિત્તે વહેલી સવારે શુભ મુહૂર્તમાં થાંભલી રોપવામાં આવશે.ત્યારબાદ ધજા આરોહણ કરાશે. સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ચંડી યજ્ઞ થશે. બપોરે તથા સાંજે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. 30 એપ્રિલના રોજ સવારે શુભ મુહૂર્તમાં થાંભલી વધાવવામાં આવશે. આ પ્રસંગે સંતો-મહંતો અને ભુવાઓ ઉપસ્થિત રહેશે.











