શ્રી રોકડિયા હનુમાનજી મંદિર વાઘપર મુકામે સંઘાણી પરિવાર દ્વારા આગામી તારીખ ૧૨-૦૪-૨૦૨૫ ને શનિવાર ને ચૈત્રી પૂનમના દિવસે શ્રી હનુમાન જન્મોત્સવ નિમિતે શ્રી હનુમંત મહાયજ્ઞ તેમજ સમૂહપ્રસાદ અને સમસ્ત સંઘાણી પરિવારના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ શુભ અવસરે સમસ્ત સંઘાણી પરિવારના કુટુંબીજનોએ સહપરિવાર સાથે પધારવા શ્રી રોકડિયા હનુમાનજી મહારાજ ટ્રસ્ટ વાઘપર પીલુડી વતી ખાસ હાર્દિક નિમંત્રણ છે.











