મોરબી : મોરબીના સામાજિક કાર્યકરોએ મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને લોકો માટે કુલર મૂકવા માટે હોસ્પિટલ તંત્ર, કલેક્ટર અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખિત રજૂઆત કરી છે.
સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગીરીશભાઈ કોટેચા, દેવેશભાઈ રાણેવાડીયાએ લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે, હાલ કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં પંખા કોઈ અસર કરી રહ્યા નથી તેથી તાત્કાલિક કુલર મૂકવામાં આવે. દર્દીઓને પોતાના ઘરેથી પંખા લાવવા પડી રહ્યા છે. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ દુધરેજીયાને, મોરબી જિલ્લા કલેક્ટરને અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને જણાવ્યું છે.










