Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સામાકાંઠે આવેલી સોસાયટીમાં તસ્કરોનો પડાવ

મોરબીમાં સામાકાંઠે આવેલી સોસાયટીમાં તસ્કરોનો પડાવ

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં તસ્કરોના આંટાફેરા થયાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. હાલ આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે લખધીરસિંહજી હોસ્પિટલ પાછળના ભાગે આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ગત તા.19ના રોજ રાત્રીના 2 વાગ્યાના અરસામાં તસ્કરોએ ધામાં નાખ્યા હતા. તસ્કરોએ અહીં મોડી રાત્રીના આંટાફેરા કરી તસ્કરીનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમને સફળતા મળી ન હતી. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હાલ સ્થાનિકોએ તેમની સોસાયટીમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments