આંતકી હુમલામાં મૃત્યુ પામેલા પિતા-પુત્રને શ્રધ્ધાંજલી આપવા મોરબીના સેવાભાવી અજય લોરીયા ભાવનગર પહોંચ્યા
મોરબી : કાશ્મીરના પહેલગાવમાં તાજેતરમાં પ્રવાસીઓ ઉપર અત્યાર સુધી સૌથી મોટો આંતકી હુમલો કરવામાં આવ્યો હતો. આ આંતકી હુમલામાં અનેક પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. જેમાં ગુજરાતના ભાવનગરના પિતા-પુત્ર પણ આંતકી હુમલામાં મૃત્યુ પામ્યા છે. તેથી ગુજરાતભરમાં આંતકી હુમલા સામે ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે આ ભાવનગરના દીવગંત પિતા પુત્રને શ્રધ્ધાંજલી આપવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતની સાથે મોરબીના સેવાભાવિ યુવાન અજયભાઈ લોરીયા અને તેમની ટિમ સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન ત્યાં પોહોંચી છે. તેઓએ આંતકી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢી આતંકવાદીનો ઝેર કરવા સરકાર સમક્ષ કડક પગલાની માંગ કરી છે.












