જમ્મુ કાશ્મીરમાં થયેલા આંતકવાદી હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ આંતકી ઘટનાના વિરોધમાં આજે સમગ્ર મોરબીએ સજ્જડ બંધ પાળીને રોષપૂર્ણ મૌનરેલી કાઢી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. ત્યારે આજે બપોરે આંતકી ઘટનાનો વિરોધ કરવા મોરબીનો સુન્ની મુસ્લિમ સમાજ મેદાને આવ્યો હતો અને જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ ઇદગાહ દરગાહ ખાતેથી સુન્ની મુસ્લિમ સમાજે મૌનરેલી કાઢી હતી.જેમાં મોટી સંખ્યામાં સુન્ની મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. મોટી સંખ્યામાં સુન્ની મુસ્લિમ સમાજે રેલી કાઢી શહેરના મુખ્યમાર્ગો ઉપર પસાર થઈને સામાકાંઠે પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપી જમ્મુ કાશ્મીરમાં આંતકી હુમલાના દોષિતોને તાકીદે પકડી સરકાર કડકમાં કડક દાખલારૂપ શિક્ષા અપાવે તેવી માંગ કરી હતી.














