Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં કાલે હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નેચરલ વસ્તુઓનું વેચાણ કરાશે

મોરબીમાં કાલે હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નેચરલ વસ્તુઓનું વેચાણ કરાશે

મોરબી : આવતીકાલે તારીખ 4 મે ને રવિવારના રોજ મોરબીમાં હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ,આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે, ન્યૂ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ ખાતે સવારે 8 થી બપોરના 12 વાગ્યા સુધી નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.

જેમાં હરડે પાવડર, ગીલોય ઘનવટી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગળા તથા લોટ મળશે, ગૌમૂત્ર અર્ક, કેળાના પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી, રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી, ઓર્ગેનિક શાકભાજી મળશે. આ વિતરણ વ્યવસ્થાનો સૌ લાભ લે તેવી મોરબી હરડે પ્રચાર કેન્દ્રના સંયોજક જીતુભાઈ ઠક્કર દ્વારા જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments