મોરબી : ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી પરિસ્થિતિમાં ભારતના વીર જવાનોની રક્ષા તથા બલિદાનીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે મોરબીમાં ભારત વિજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.


10 મે ને શનિવારના રોજ સાંજે છ કલાકે મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ (ન્યારા પંપ સામે, દિનેશભાઈનું ખેતર, બુધવારી ગ્રાઉન્ડ) ખાતે સાંજે 6 કલાકે ભારત વિજય યજ્ઞનું આયોજન કરાયું હતું. આ યજ્ઞમાં મોટી સંખ્યામાં દેશ પ્રેમી લોકો જોડાયા હતા.











