મોરબી : મોરબીના બગથળા ગામે યુવાનનું તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા મયુરભાઈ ભીખાભાઈ સરવૈયા ઉ.33 નામના યુવાન બગથળીયા મંદિર પાસે આવેલ તળાવમાં ડૂબી જતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું.આ બનાવથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.










