Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiકરૂણાતીકા : હળવદમાં દીકરાનું જન્મતા વેંત જ મોત થતા પિતાએ પણ અંનતની...

કરૂણાતીકા : હળવદમાં દીકરાનું જન્મતા વેંત જ મોત થતા પિતાએ પણ અંનતની વાટ પકડી

હળવદ : કહેવાય છે કે, કુદરત તારી કસોટીની પ્રથા સારી નથી. જેની કસોટી કરે છે તેની દશા સારી હોતી નથી. આવી જ રીતે હળવદ તાલુકાના શક્તિનગર ગામના સામાન્ય પરિવાર સાથે કુદરતે કસોટી કરવામાં કઈ બાકી રાખ્યું ન હતું. જેમાં 7 દીકરીઓ પછી પુત્ર રત્નનો જન્મ થતા પરિવારની ખુશીની કોઈ સીમા રહી ન હતી. પણ આ ખુશી એકાદ બે ક્ષણ જ રહી હતી અને પુત્રનું જન્મતા વેંત જ મોત નિપજતા તેના આઘાતમાં પિતાએ પણ અંનતની વાટ પકડી હતી. આથી આ પરિવાર હિબકે ચડ્યો હતો. જેથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

હળવદ તાલુકાના શક્તિનગર ગામમાં રહેતા અને નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા ૪૧ વર્ષના બ્રાહ્મણ પરિવારના ભાવેશભાઈ દલપતભાઈ ભટ્ટના ઘરે 7 દીકરીઓ બાદ તાજેતરમાં દીકરાનો જન્મ થયો હતો.જો કે જન્મતા વેંત જ દીકરાનું મૃત્યુ થયું હતું.આ ઘટનાથી આઘાતમાં સરી પડેલા ભાવેશભાઈનું 15 જ દિવસમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.

7 દિકરીઓમાં તેમની સૌથી મોટી દીકરી 19 વર્ષની છે અને સૌથી નાની દીકરી 5 વર્ષની છે.પરિવારમાં એકને એક દીકરાનો જન્મ થતા વેંત જ તે મૃત્યુ પામ્યો.ઉપરથી પરિવારના આધાર સ્તંભ એવા ભાવેશભાઈનું પણ મૃત્યુ નિપજતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન પરિવારની મોટી દીકરી મીતલએ પિતાને કાંધ આપી અગ્નિ સંસ્કાર કરી દીકરાનો ધર્મ નિભાવ્યો હતો.અંતિમ વિધિમાં અનેક સેવાકીય અગ્રણીઓએ પરિવારની પડખે ઉભા રહી માનવતા દાખવી હતી.વધુમાં સામાજિક અગ્રણીઓએ આ પરિવારને ફૂલ નહિ પણ ફૂલની પાંખડી સમાન મદદ કરી પુણ્યનું ભાથું બાંધવા અપીલ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments