Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં રવિવારે સાઈબર ક્રાઈમ જાગૃતિ સેમીનાર

મોરબીમાં રવિવારે સાઈબર ક્રાઈમ જાગૃતિ સેમીનાર

મોરબી સીનીયર સીટીઝન દ્વારા મોરબી જીલ્લા પોલીસ સાઈબર ક્રાઈમના અધિકારીને સાથે રાખીને માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી રવિવારે આ સૅમિનાર યોજાશે.

વર્તમાન સમયમાં ઘણા વરીષ્ઠ નાગરીક તથા અન્ય લોકો માહિતીના અભાવે સાઇબર ક્રાઈમનો શીકાર બનતા હોય છે. ત્યારે મોરબી જીલ્લા પોલીસ દ્વારા સાઇબર ક્રાઈમ અંગે લોકોને જાગૃત કરવા માટે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવે છે તેના જ ભાગ રૂપે મોરબી સીનીયર સીટીઝન દ્વારા મોરબી જીલ્લા પોલીસ સાઈબર ક્રાઈમના અધિકારીને સાથે રાખીને માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીની તમામ સંસ્થા તથા મોરબીના તમામ જનતા આવી શકે છે અને આ કાર્યક્રમ તા 1/6 ને રવિવારના રોજ સાંજે ૫-૦૦ વાગ્યે મહાવીર સોસાયટી મેદાન, શનળા રોડ, મોરબી ખાતે રાખવામા આવેલ છે તેવી માહિતી સંસ્થાના પ્રમુખ ડો. કી. કે લહેરૂ, ઉપપ્રમુખ નરભેરામભાઈ ચડાસણીયા અને મંત્રી મહેશ ભટ્ટ દ્વારા આપવામાં આવેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments