મોરબી : સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રી સિંધી સમાજ મોરબી દ્વારા તા. 10-6-2025 ને મંગળવારના રોજ સાંજે 5 થી 7 કલાક દરમ્યાન સિંધુ ભવન, સ્ટેશન રોડ, મોરબી ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 10 અને 12 પછી શું? સિવિલ સર્વિસીસની તૈયારી કેવી રીતે કરી શકાય? તેવા તમામ પ્રશ્નોનું સાચો માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વિદ્યાર્થીઓએ અમૂલ્ય લાભ લીધો. આ સેમિનારના મુખ્ય વક્તા ગોવિંદભાઈ મેલવાણી (અધ્યક્ષ ઉદય એકેડેમી કાઉન્સિલ ગુજરાત રાજ્ય) ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં વિદ્યાર્થીઓ સાથે માતા પિતા પણ હાજર રહ્યા હતા.












