મોરબી : ફાધર્સ ડેના દિવસે જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં સનાતન યુવા ગ્રુપના માધ્યમથી વિદ્યાર્થીભાઈઓ તથા બહેનોને રાહતદરે ફૂલસ્કેપના બુક્સ વિતરણ અર્થે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આવતા વર્ષે વધારે પ્રયત્ન કરીશું એવા સંકલ્પ સાથે કાર્ય પૂર્ણ થયું હતું. આ સાથે શ્રી જડેશ્વર મંદિર ટ્રસ્ટનો સહકાર તથા નામી અનામી દાતાઓ, સ્વયંસેવકોએ સેવા આપી હતી. આ સાથે જ વિદ્યાર્થીઓ અને એમના માતા પિતા દ્વારા આ કાર્યક્રમમાં આવી અને આ ફાધર્સ ડેના દિવસે કોઈના પિતા કોઈના માતા કોઈના ભાઈ કોઈના બહેન બનાવી ઉજવણી કરવામાં આવી હતી. જે બદલ સનાતન યુવા ગ્રુપ મોરબી દ્વારા સર્વનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.












