વાંકાનેર સીટી પોલીસ મથકમાં એન ડી પી એસ કેસમાં માદક પદાર્થ વનસ્પતિજન્ય ૧૦ કિલો ગાંજાના જથ્થા સાથે એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો જે આરોપીએ કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટે અરજી મંજુર રાખી હતી અને આરોપીનો જામીન પર છુટકારો થયો છે
વાંકાનેર સીટી પોલીસે ૧૦ કિલો ગ્રામ એમ ડી પાવડર વેપારી જથ્થાના (કોમર્શીયલ કવોનટીટી) સાથે આરોપી મનોજ ડાકટરભાઈ આનંદભાઈ જૈના રહે હાલ સુરત કતારગામ,વાળાને ઝડપી લીધો હતો જે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી સેશન્સ કોર્ટમાં રજુ કરી જ્યુડી. કસ્ટડીમાં જેલહવાલે કર્યો હતો આરોપી મનોજ જેનાએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી જે જામીન અરજી હાઈકોર્ટે મંજુર રાખતા આરોપીને શરતોને આધીન રૂ ૧૦,૦૦૦ ના જામીન પર મુક્ત કર્યો છે
જે કેસમાં આરોપી મનોજ જૈનાના વકીલ તરીકે એસ ડી મોઘરીયા, વકીલ મનીષ પી ઓઝા (ગોપાલભાઈ અને મેનાઝ એ પરમાર રોકાયેલ હતા











