મોરબી : આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત શ્રી હનુમાન મંદિર, બોરીચાવાસ, લીલાપર રોડ, મોરબી ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળનાં કાર્યકર્તાઓએ સાથે મળીને પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે જામફળ, મીઠો લીમડો જેવા વિવિધ વૃક્ષોનું રોપણ કર્યું હતું.











