હળવદના રાણેકપર રોડ ઉપર મહર્ષિ ગુરુકુળના ગેટ પાસે છોટાહાથી વાહનમાં ગાય ભરીને જઈ રહેલા ફરિયાદી ખોડાભાઈ રમેશભાઈ ટોટા રહે.ખારીવાડી હળવદ વાળા પોતાના વાહનમાં ગાય ભરીને જતા હતા ત્યારે બોલેરો ગાડીમાં આવેલ આરોપી ગુરુમુખસિંગ ભાદા રહે.ઢુંવા તેમજ મહેન્દ્રસિંગ બંગા રહે.હસનપર વાંકાનેર નામના આરોપીએ તા.18ના રોજ રાત્રીના સમયે છોટાહાથી ઉપર પથ્થરમારો કરતા વાહનના કાચ ફૂટી ગયા હતા અને ખોડાભાઈને પથ્થર વાગતા મૂંઢ ઇજાઓ થઈ હતી.બનાવ અંગે હળવદ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે










