મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામધામ- મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે. ત્યારે મૂળ ઉંચી માંડલ અને હાલ મોરબીના સ્વ. ઉકાભાઈ પંચાણભાઈ સંઘાણીની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે તેમના પરિજનો દ્વારા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો. આ તકે ગં.સ્વ.ગંગાબેન ઉકાભાઈ સંઘાણી, વલમજીભાઈ ઉકાભાઈ સંઘાણી, લીલાબેન વલમજીભાઈ સંઘાણી, રવિભાઈ વલમજીભાઈ સંઘાણી, કાજલબેન રવિભાઈ સંઘાણી, અમિતભાઈ વલમજીભાઈ સંઘાણી સહિતના પરિવારના સભ્યોએ ઉપસ્થિત રહી પોતાના હસ્તે પ્રસાદ વિતરણ કર્યું હતું.
આ તકે મોરબી જલારામધામના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, કિશોરભાઈ ચંડીભમર, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, અનિલભાઈ સોમૈયા, કિશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, હિતેશભાઈ જાની, સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહિતના અગ્રણીઓએ સદ્ગતને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.











