હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં આવેલ બીસેરો સિરામિક ફેકટરીના પાછળના ભાગે આવેલ અન્ડર ગ્રાઉન્ડ પાણીના ટાંકાની ઓરડીમાં ઇલેક્ટ્રિક કેબલ વડે વિનોદભાઈ સનતભાઈ પ્રજાપતિ ઉ.36 નામના યુવાને આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં યુવાન માનસિક અને જીદી સ્વભાવનો હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










