હળવદ : હળવદ તાલુકાના માથક ગામની સીમમાં હડકાઈ માતાજીના મંદિર નજીક ઝેરી દવા પી લઈ મોરબીના યોગીનગરમ, કુબેર ટોકીઝ પાછળના વિસ્તારમાં રહેતા નવલભાઈ સોમાભાઈ વણપરા ઉ.47 નામના યુવાને આપઘાત કરી લીધો હતો.વધુમાં મગજની બીમારીની તકલીફને કારણે નવલભાઈએ આ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










