મોરબી: વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લાના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના સુપુત્ર જયાદિત્યસિંહ જાડેજાના જન્મદિવસ નિમિત્તે પાશ્ચાત્ય સંસ્કૃતિ તથા આધુનિકતાથી દુર રહીને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ગાયત્રી હવન કરી તથા શંકર આશ્રમ પાસે આવેલ શ્રી બાજીરાજબા વૃધ્ધાશ્રમ તથા શોભેશ્રવર રોડ ઉપર આવેલા વૃધ્ધાશ્રમમાં પવિત્ર શ્રાવણ માસને અગિયારસના દિવસે જન્મદિવસની વડીલોની વચ્ચે ઉજવણી કરી ફરાળ કરાવી તેમના આશીર્વાદ મેળવીઆ તથા પ્રેરણાદાયી ઉજવણી કરી સેવાકીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું.














