મોરબી: લખધીરવાસ ચોક, મોરબી ખાતે મયુર નગરી કા રાજા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સતત બે વર્ષના સફળ આયોજન બાદ મયુર નગરી કા રાજા ગણેશ મહોત્સવનું આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. જ્યાં પ્રથમ દિવસે જ વૃદ્ધાશ્રમના વડીલોના હસ્તે મહાઆરતીનું આયોજન તથા સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વૃદ્ધાશ્રમના વડીલો માટે મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત દરરોજ સાંજે 7:30 કલાકે મહાઆરતી, રાત્રે રાસ-ગરબા, આનંદનો ગરબો, સત્યનારાયણ ભગવાનની કથા, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તો મોરબીની ધર્મપ્રેમી જનતાને મયુર નગરી કા રાજા ગણેશ મહોત્સવમાં પધારી ગણપતિ બાપ્પાના દર્શનનો લાભ લેવા જણાવાયું છે.














