Wednesday, April 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રામકૃષ્ણનગર ખાતે મંગાહરીના રામાપીરની રમેલનું ભવ્ય આયોજન

મોરબીના રામકૃષ્ણનગર ખાતે મંગાહરીના રામાપીરની રમેલનું ભવ્ય આયોજન

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ પર આવેલા રામકૃષ્ણનગર ખાતે આગામી તારીખ 3 સપ્ટેમ્બર ને બુધવારના રોજ જય અલખધણી મિત્ર મંડળ દ્વારા મંગાહરીના રામાપીરની રમેલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ નિમિત્તે 3 સપ્ટેમ્બરના રોજ સવારે 8 કલાકે થાંભલી મુહૂર્ત, ત્યારબાદ સવારે 8 કલાકે શોભાયાત્રા-રથયાત્રા નીકળશે, રામાપીરના મહંત રાજારામનાથજી બાપુના સામૈયા થશે. સાંજે 6 કલાકે મહારાણા પ્રતાપ સર્કલ ખાતેના રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. રાત્રે 8-30 કલાકે રામાપીરની રમેલ યોજાશે. જેમાં કલાકાર ઘેલાભાઈ રબારી ઉપસ્થિત રહેશે. તો આ રામાપીરની રમેલમાં ઉપસ્થિત રહેવા પ્રમુખ બાબુભાઈ કરોતરા અને ઉપપ્રમુખ રાહુલભાઈ સુરેલા સહિતનાઓ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments