મોરબી : જય માં આશાપુરા મિત્ર મંડળ દ્વારા કામધેનુ પાર્ટી પ્લોટ, મોરબી કંડલા બાયપાસ રોડ મોરબી ખાતે કચ્છ ખાતે બિરાજમાન આશાપુરા માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પદયાત્રીઓ માટે આરામ, ચા-પાણી અલ્પાહાર, મેડિકલ સેવા, સ્નાન, રાત્રી રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સેવા કેમ્પની વધુ માહિતી માટે મો. 8780240066, 7043306056 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.











