મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લાના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ)ના સુપુત્ર શ્રી વંશરાજસિંહના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજના વિશેષ લોકોની વચ્ચે રહીને જન્મદિવસની ઉજવણી કરતા હોય છે તેમ મોરબી મહાનગરપાલિકા સંચાલિત મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રયગૃહ (રેન બસેરા) ખાતે નિરાક્ષિત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી તેમની સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી તથા બાળકો, વડીલો, વૃધ્ધોને નાસ્તો કરવાની તેમના આશીર્વાદ મેળવીને એક સેવાકીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ તકે વિશ્વ હિન્દુ પરિષદ મોરબીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.













