વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ પાસે આવેલ લોનીક્ષ સિરામિક કારખાનામાં કામ કરતા ઓરિસ્સા રાજ્યના વતની જગન્નાથ રૂહ્યાભાઈ ડોલમ ઉ.51 નામના શ્રમિક લેબર કોલોની નજીક લઘુશંકા કરવા જતા હતા ત્યારે અચાનક પગ લપસી જતા પડી જવાથી માથાના ભાગે ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.








