Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપીએમ મોદીના જન્મદિવસથી ગાંધી જયંતિ સુધી ભાજપ સેવા પખવાડિયુ તરીકે ઉજવણી કરશે

પીએમ મોદીના જન્મદિવસથી ગાંધી જયંતિ સુધી ભાજપ સેવા પખવાડિયુ તરીકે ઉજવણી કરશે

મોરબી : ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તા. 17 સપ્ટેમ્બરથી ગાંધીજયંતિ તા. 2 ઓક્ટોબર સુધી “સેવા પખવાડિયા “ તરીકે વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમો થકી ઉજવવામાં આવશે.

આ સેવા પખવાડિયા કાર્યક્રમ અનુસંધાને ટંકારા ખાતે ટંકારા તાલુકા મંડળની કાર્યશાળા પુર્વ જિલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, સહ સંયોજક અરવિંદભાઈ વાસદડીયા તથા મંડલ પ્રમુખ દિનેશભાઈ ગડારા, મહામંત્રી રુપસિંહ ઝાલા,ગણેશભાઇ નમેરા, પ્રભુભાઇ કામરીયા, નથુભાઈ કડીવાર, તાલુકાના પંચાયત ઉપ પ્રમુખ અરવિંદભાઇ દુબરીયા, પ્રવિણભાઇ લો, મહેશભાઇ લીખીયા તથા મંડલ ઉપપ્રમુખ, મંત્રી, કોષાધ્યક્ષ, તાલુકા-જિલ્લા પંચાયત સભ્ય, શકિત કેન્દ્ર સંયોજક તથા કાર્યક્રમ ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ ઉપસ્થિતિમાં યોજાયેલ છે. આ કાર્યક્રમમાં સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન શિબિર, વૃક્ષારોપણ, સર્વ રોગ નિદાન કેમ્પ, ચિત્ર સ્પર્ધા, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જીવન પ્રદર્શની, વિષયે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કાર્યક્રમ સંચાલન દિનેશભાઈ વાધડીયા દ્વારા કરવામાં આવ્યુ.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments