મોરબીના શનાળા ખાતે પટેલ સમાજ વાડીમાં ઠાકર પરિવાર દ્વારા સમસ્ત બ્રહ્મ ચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ વિદેશમાં કાર્યક્રમો આપનાર, સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર, હાસ્ય, શિક્ષણવિદ સાંઈરામ દવેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબીના બાળ કલાકાર મીરા કૃષ્ણચંદ્ર દવેએ ભજનની રમઝટ બોલાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.











