Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ભક્તિનગર સર્કલ પાસે રોડ ઓળગતા વૃદ્ધનું અકસ્માતમાં મોત

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે રોડ ઓળગતા વૃદ્ધનું અકસ્માતમાં મોત

મોરબી : રાજકોટ- મોરબી હાઇવે ઉપર ભક્તિનગર સર્કલ પાસે આજે ચાલીને રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને મોટા વાહને હડફેટે લેતા ઘટના સ્થળે જ તેઓનું મોત નીપજ્યું હતું. આ બનાવને લઈને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મૂળ જીવાપર ગામના અને હાલ મોરબી રહેતા કાલરીયા જસમતભાઈ કેશવજીભાઈ (ઉ.વ.68) મોરબીના ભક્તિનગર સર્કલ પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન કોઈ મોટા વાહને તેઓને હડફેટે લેતા ઘટના સ્થળે જ તેઓનું મોત નીપજયું હતું. ત્યારબાદ તેમના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. મોરબી સિટી એ ડિવિઝન પોલીસને બનાવ અંગે જાણ કરાતા તેઓએ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments