મોરબી: Always Ceratech કંપની દ્વારા તેમના શ્રમિકો અને સુપરવાઈઝરો માટે એક વિશેષ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ દરમિયાન કર્મચારીઓ અને તેમના પરિવારજનો દ્વારકા નગરી અને પ્રખ્યાત દ્વારકાધીશ મંદિરમાં દર્શન માટે ગયા હતા. સાથે જ નાગેશ્વર જ્યોતિર્લિંગનું પણ સુંદર પ્રવાસ કરવામાં આવ્યું હતું, જે વિદ્યાર્થીઓ અને પરિવારજનો માટે એક યાદગાર અનુભવ બની ગયો.
કંપનીના તમામ કર્મચારીઓ અને સુપરવાઈઝરો પરિવાર સાથે જોડાઈને આ પ્રવાસનો આનંદ માણ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજનમાં કંપનીના ભાગીદારો રાજુભાઈ વિરમગામા, નિતિનભાઈ, હિતેશભાઈ દેત્રોજા અને સતિશભાઈ બોપલિયાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પ્રકારના કાર્યક્રમો કર્મચારીઓ અને તેમના પરિવાર વચ્ચે સાંસ્કૃતિક, ધાર્મિક અને સામાજિક બંધનો મજબૂત કરવા માટે ઉત્તમ માર્ગ તરીકે કાર્ય કરે છે.










