Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઅનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીઓને ફ્રુટ-ઠંડા પીણાનું વિતરણ

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીઓને ફ્રુટ-ઠંડા પીણાનું વિતરણ

મોરબી: અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ પોતાના સેવાકાર્યોથી પ્રસિદ્ધ છે. તેઓ છેલ્લા સાત વર્ષથી માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે વિવિધ પ્રકારની સેવાઓ કરી રહ્યા છે. આ વર્ષે પણ ગ્રુપના સભ્યોએ પદયાત્રીઓ માટે ફ્રુટ અને ઠંડા પીણાંનું વિતરણ કર્યું. વિતરણમાં પદયાત્રીઓને કેળા, સફરજન સહિતના તાજા ફળ આપવામાં આવ્યા હતા. અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ મોરબીથી ભુજ સુધી પદયાત્રીઓને સતત સેવા આપી હતી, અને આ સેવાથી ગ્રુપના સભ્યોએ માતાજી પ્રત્યે પોતાના ભાવને દર્શાવ્યો છે.

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલે જણાવ્યું કે, દર વર્ષે માતાના મઢ જતાં પદયાત્રીઓને સેવા કરવાનો અવસર મળવો અમારે માટે અત્યંત સન્માનનો વિષય છે. પદયાત્રીઓને મદદરૂપ થઇ માતાજી પ્રત્યેનો આપણો ભાવ અને ભક્તિ પ્રગટ થાય છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે માતાજી અમને વધુ લોકોની સેવા કરવાની શક્તિ અને દ્રઢતા આપે.” અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપની આ સેવા માત્ર પદયાત્રીઓ માટે ઉપયોગી સાબિત થઈ રહી છે જ નહીં, પરંતુ સમાજમાં ભક્તિ, સેવા અને સામાજિક જવાબદારીનો ઉત્તમ ઉદાહરણ પણ દર્શાવે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments