Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મનપા દ્વારા વિજયાદશમીએ રામલીલા ભજવી રાવણદહન કરાશે

મોરબી મનપા દ્વારા વિજયાદશમીએ રામલીલા ભજવી રાવણદહન કરાશે

મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે રામલીલા સાથે રાવણદહનનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. પ્રાચીન પરંપરા અનુસાર અધર્મ પર ધર્મની જીત અને અસુરી શક્તિઓનો નાશ કરવાના સંદર્ભમાં આ રંગારંગ કાર્યક્રમ તા. ૨/૧૦/૨૦૨૫, ગુરુવારના રોજ સાંજે ૭ કલાકે યોજાશે. આ ઉજવણીનું સ્થળ એલ. ઇ. કોલેજ ગ્રાઉન્ડ, મોરબી-૨ રાખવામાં આવ્યું છે.

મોરબી મહાપાલિકાએ શહેરના તમામ નાગરિકોને તેમના પરિવાર અને મિત્રમંડળ સાથે આ ઐતિહાસિક અને પરંપરાગત પ્રસંગમાં જોડાઈને આનંદ માણવા માટે હર્ષઉલ્લાસભર્યું આમંત્રણ પાઠવ્યું છે. નાગરિકોની સલામતી અને સુવિધા માટે મહાપાલિકા દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments