Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સોમવારે રાસોત્સવ યોજાશે

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સોમવારે રાસોત્સવ યોજાશે

મોરબી : આગામી તારીખ 6 ઓક્ટોબરને સોમવારે શરદ પૂર્ણિમા નિમિત્તે પર પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસોત્સવ સોમવારે રાત્રે 9 કલાકે મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા કેશવ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે.

આ પ્રસંગે મોરબી સમસ્ત બ્રહ્મ પરિવારો તેમજ જ્ઞાતિ આગેવાનો, વડીલો તેમજ બાળાઓ સાથે ઉપસ્થિત રહી શરદપૂર્ણિમાના આ પાવન પર્વને રાસોત્સવના રંગે રગાવાનું અનુરોધ કરવામાં આવ્યો છે. શ્રી પરશુરામ યુવા ગૃપ-મોરબીના પ્રમુખ ઉદયભાઈ જોષી, મહામંત્રી વિશ્વાસભાઈ જોષી, હર્ષભાઈ વ્યાસ તેમજ વિજયભાઈ રાવલ સહિત સમગ્ર ટીમ દ્વારા બ્રહ્મ સમાજના તમામ પરિવારોને આ ભવ્ય રાસોત્સવની શોભા વધારવા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments