મોરબી : માળીયા મી.ની વેજલપર જૂથ સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતો માટે એક સરાહનીય કામગીરી કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. કપાસના વેચાણ માટે છૂટક વેપારીઓ અને જિંનીગ મિલમાં ઉતારા કાઢીને ભાવ કાઢીને ભાવ કરવાની પ્રથા છેલ્લા ત્રણ વર્ષથી વેપારી દ્વારા અમલમાં છે. ત્યારે ખેડૂતોને પોતાના કપાસના રૂ નો ઉતારો કેટલો છે તે પોતાની નજર સામે જાણ થાય તેવા હેતુથી કપાસમાં શ્રી રૂ ના ઉતારા કાઢવાનું મશીન મંડળી મંડળી દ્વારા ખરીદી ટોકન ભાવથી ખેડૂત ઉતારો કાઢી અને ખેડૂત પોતાના કપાસનો ભાવ પોતે નક્કી કરી શકે તેવા આશય સાથે આ મશીનને પ્રમુખ, કમિટીના સભ્ય, મંત્રી દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું છે.









